મનને આજે એનો પશ્ચાતાપ છે.
જિંદગી લાંબી, કદી ટૂંકી પડે,
મોતનું તો એકસરખું માપ છે.
'સો વરસનો થા', કહો ન સ્નેહથી,
એમ લાગે છે કે આપ્યા શ્રાપ છે!
આંસુ તારી સામે ક્યાંથી સારશે?
મા નથી કંઈ, એ તો તારો બાપ છે!
મંદિરોમાં હોય સારી, ખુશ ન થા!
બહાર પણ જો કેવી તારી છાપ છે!
~ દેવાંગ પરીખ 'રસિક'
True sir
ReplyDeleteThank you so much ❤️
Delete