આખો, અડધો, પા ય નહિ, થોડો ઘણો તો શુદ્ધ થાય!?
સાઠ-પાંસઠની વયે, દુનિયા ભલે ને થાય પણ,
કોઈએ દેખ્યું-સુણ્યું ક્યારે કે મા નિવૃત્ત થાય!?
માર, પીડા, માંદગી ને મોત છે મંજૂર પણ,
જોજે, કોઈ બેબસીની હદ સુધી ન વૃદ્ધ થાય.
માનવી અપડેટ કરતાં કાળજી એ રાખજે,
કે કરુણા માનવીમાંથી કદી ન લુપ્ત થાય.
હાથ જોડું છું પ્રભુ, હું એટલું બસ માંગવા,
જેટલું, જ્યારે મળે, મન મારું એમાં તૃપ્ત થાય.
~ દેવાંગ પરીખ 'રસિક'